વિશ્વ ઉધોગ સાહસિકતા દિવસ ની ઉજવણી .

કોમર્સ કોલેજ મહેસાણામાં વિશ્વ ઉધોગ  સાહસિકતા દિવસ ની ઉજવણી .

         શ્રી વી .આર. પટેલ  કોલેજ ઓફ કોમર્સ ,મહેસાણા માં તારીખ 21/08/2023 ને સોમવાર  ના રોજ આચાર્ય શ્રી જે. કે. પટેલ સાહેબ ના માર્ગદર્શન હેઠળ  બી. કોમ. ના વિદ્યાર્થી ભાઈ –બહેનો  માટે વિશ્વ ઉધોગ  સાહસિકતા દિવસ ની ઉજવણી કરવામાં આવી. જેમાં સમારોહ ના અધ્યક્ષ વિમલ ગ્રુપ ના માલિક ચંદુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ઉધોગો કઈ રીતે સ્થાપી શકાય તેની માહિતી આપી હતી. સાથે સાથે કોલેજના ભૂતપૂર્વ વિદ્યાથીઓ   નિખિલભાઈ દાણી  , શાહરુખ ખાન કુરેશી તથા રાજુભાઇ પુનમાજી હાજર રહ્યા હતા. તેમણે બિઝનેશ કઈ રીતે કરવો અને કઈ રીતે આગળ વધવું તેની માહિતી આપી હતી.  કોલેજ ના અધ્યાપક ડો. કેતનભાઈ મોદી સાહેબે ઉધોગ સાહસિકતા ની વાત કરી હતી. .  સમગ્ર કાર્યક્રમ નું સંચાલન ડો. શૈલેશભાઈ પ્રજાપતિ  અને  આભારવિધિ   ડો.વિશાલ ભાઈ જોષી  દ્વારા કરવામા આવી હતી.

Back